‘રામકથા રિફ્લેક્શન્સ’ માત્ર રામની ગાથા નથી — એ અનેક સ્ત્રીઓની અવિદિત અને અવ્યક્ત યાત્રાઓનો દસ્તાવેજ છે. ઉર્મિલાનું મૌન, અનુસૂયાનું વ્રત, કૈકેયીની વ્યથા કે ત્રિજટાની દ્રષ્ટિ આ બધા માં એક સન્દેશ છે આજ ની સ્ત્રીઓ માટે.
આ પુસ્તક એક પ્રયાસ છે — સ્ત્રીના મનની ઊંડાઈને સાંભળવાનો, એમની મૌન વ્યથાઓને અવાજ આપવાનો, એમના નિર્ણયો પાછળના માનસ ને સમજવાનો અને આજના સમયમાં તેમની સ્થિતિને ફરીથી જોવાનો.
કહેવાય છે કે રામકથા સંત પુરુષો માટે છે – પણ એ સ્ત્રીઓ જ છે જેણે રામકથા ને જીવતી રાખી છે. સદીઓ સુધી સાધનામાં, સત્યની શોધ માં અને સહનશીલતાની શાંત પ્રતિક્રિયા માં.
આ પુસ્તક એક આશા છે — કે ભવિષ્યના સંવેદનશીલ વાચકો રામકથા ને માત્ર ફરીથી ‘યાદ’ જ નહીં કરે, પણ ‘સજાગ’ રીતે સાંભળશે અને જીવન માં એનાથી પ્રાપ્ત થતા સંદેશ ને અપનાવશે.
Be the first to review “RamKatha Reflections | રામકથા રિફ્લેક્શન્સ ( નારી મન નું અનુશીલન )”