હિન્દુધર્મ અદભુત ધર્મ છે. હજારો વર્ષોની અગણિત ઋષિમુનિઓ દ્વારા ઉજાગર થયેલો ધર્મ બ્રહ્માંડ, બ્રહ્માંડમાં થતી ગતિવિધિ, તેના નિયમો અને મનુષ્ય શરીરની રચના અને તેમાં ઉજાગર કરી શકાતી દિવ્ય શક્તિઓનું સચોટ જ્ઞાન દર્શાવે છે. કમનસીબે આ જ્ઞાન તેના મૂળ સંદર્ભથી બદલાઈ જતાં અને કેટલુંક વિલુપ્ત થઈ જતાં, વર્તમાન સમયમાં હિન્દુધર્મનું આચરણ ફક્ત ક્રિયા બની ગઈ છે. જેથી દિવ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આ પુસ્તકમાં, લેખકના ૩૦ – ૩૫ વર્ષના વિચાર, મનન, મંથન અને ધ્યાન થકી પરિણામ સ્વરૂપ હિન્દુધર્મ અને અધ્યાત્મની પ્રાપ્ત થયેલી નવીન અને અદ્વિતીય સમજ તર્કબદ્ધ, વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં દર્શાવેલ છે. જે સૌ કોઈની અધ્યાત્મ અને હિન્દુધર્મ વિષેની જીજ્ઞાશા સંતોષાય તેવી માહિતી આપતું પુસ્તક છે.
Be the first to review “Gyaanpunj”